આમ તો રોજ સાંજે વરસાદ આવે છે કાલે નહોતો આવ્યો, મને એમકે આજે વિરામ લીધો લાગે છે,
પણ બોસ રાત્રે ૧ વાગે તો પથારી ફેરવી નાખી વરસાદે,અને સાથે ભયંકર વાવાઝોડુ.
આવું તે વાવાઝોડુ વડોદરામાં કોઇ એ અનુભવ્યું નહીં હોય. હું રાત્રે ઉઠ્યો અને ગેલેરી માં થી જોયું
તો મને એમ જ લાગ્યું કે હું કોઇ ટોરનેડો વચ્ચે ફસાયો છું, અરે તમે વાવાઝોડાનું અવાજ તેમજ
વરસાદ જોઇને ગભરાઇ જાવ. ખતરનાક, અનુભવ કરાવ્યો કાલે રાત્રે તો વરસાદે, અને તેપણ
એક-બે મિનિટ નહી, પૂરો એકકલાક સુધી ભૂક્કા કાઢી નાખ્યા. અને એમાં પાછી લાઈટો ગઇ.
રાત ના સાલી બેટરી પણ અંધારા માં ન મળી. મિણબત્તી થી ઘરનાં દરેક માળ ચેક કર્યા કે ક્યાં
પાણી આવે છે. બિચારા, ઘણા લોકો ના પતરા પણ ઉડી ગયા હશે. અને જે રોડ પર રહેતા હશે
તેમની તો આવી જ બની હશે કાલે રાત્રે. ૧ વાગ્યા થી ૩.૩૦ સુધી ભયંકર વરસાદ પડયો છે.
લાગે છે, ગ્લોબલવોર્મિંગ ની લીધે ટોરનેડો હવે ગુજરાત માં પણ આવવા લાગ્યા છે.
વાવાઝોડા વિશે વિચારું છું તો હજુ પણ એ ખતરનાક, અવાજો કાનમાં વાગે છે.
વડોદરાવાસી ઓ, જો તમે કંઇક આવો જ અનુભવ કર્યો હોય તો, જણાવજો.
પેપર માં તો આજે નહી આવે કાલે ૧૦૦% આવશે.
-મલજી








એ ભાઈ… વાત જ જાવા દ્યો! રાત આખી ઉજાગરો થયો છે. ત્રીજા માળે અમારો ફ્લેટ એટલે વરુણ દેવતાએ બંધ બારી બારણાંમાંથી સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ડાયરેક્ટ એન્ટ્રી પાડી દીધી અને આખાં ઘરમાં ફરી વળ્યા! . લો થાવ પવિત્ર! …. .પણ આટલેથી અટ્ક્યું ખરું!
ઘણાં લોકો ગઈ રાત્રે ખૂબ જ તકલીફમાં મુકાઈ ગયા હશે કારણ કે પાણીનો ભરાવો બધે થયો જ હશે.
અને હા… ગઈ રાતનું અદભૂત દશ્ય! યાદ રહી જશે!!!!
By: યશવંત ઠક્કર on July 8, 2009
at 3:45 am
સહુ વડોદરાવાસી ઇશ્વરના આશિર્વાદ સાથે ફરી પાછા સ્વસ્થ અને સાહજીક જીવન પ્રવાહમાં જોડાઈ જાય એવી શુભેચ્છા.
મારી નીચે લખેલી કાવ્ય પંક્તિ ઘટના ને અનુરુપ છે …
રુઠેલી મા ના અબોલા કરતા થોડો માર, બાળક્ને સારો લાગે!
પાણી! પાણી! પોકાર કરતા જળબંબાકાર,બાળક્ને સારો લાગે!
મુકુન્દ જોશી
By: Mukund Joshi on July 8, 2009
at 5:23 am
હું બહુ વહેલો ચેતી ગયો.આવું કંઈક થશે એની ભનક મને ૧૯૩૪માં સાંકરદા ગામમાં થઈ ગયેલી એટલે મારા માબાપે મને ત્યાંથી ઉઠાવી લીધો.હવે વાવાઝોડું આવી જ ગયું છે તો વડોડરાની મુલાકાત લઈએ તો મુક્કાલાત નહીં પડે.ને હવે તો ‘મલજી’પણ ત્યાં છે.
By: Shah Pravinchandra on July 8, 2009
at 10:54 am
વડોડરા ના જતા, વડોદરા આવજો, મુક્કાલાત તો નહીં પડે પણ કદાચ ખાડા માં પડી શકો એની ગેરંટી
By: malji on July 8, 2009
at 10:59 am
ગમે એટલો ખંત રાખીએ તો પણ ડફોળને ‘ડ’ જ વહાલો લાગે.ખાડાઓ પુરાઈ જાય એટલે જણાવજો.
હાશ,મુક્કાલાતમાંથી તો બચી ગયા.
આભાર!
By: Shah Pravinchandra on July 8, 2009
at 11:33 am
હા, આવું વાવાઝોડું તો કદાચ નજીકના ભૂતકાળમાં કયારેય નહીં આવ્યું હોય. શહેરભરમાંથી 200થી વધુ વૃક્ષ ઉખડી પડયાં છે. એ નુકસાન બહુ મોટું છે. હવે નવું વાવેતર થતું નથી અને જેટલાં છે એટલાં વૃક્ષો પણ ઘટતાં જાય છે. તેમની ખોટ આવતા ઉનાળે બહુ સાલશે.
By: Anonymous on July 9, 2009
at 10:09 am
aavyo 6un etle lakhu chun, em to tame kai baki nathi rakhyu.
Jordar varnan…..
badha e anubhavyu ane tame lakhyu
kyarek amara blog thi pan rubaru thajo
By: Prakash Jain on July 10, 2009
at 8:50 am