Posted by: malji | February 3, 2009

પ્રથા ઇન્તેજારની

પ્રથા ઇન્તેજારની

સારું થયું ફગાવી પ્રથા ઇન્તેજારની
કેવી હવે મજા છે વ્યથા-મુક્ત પ્યારની ?

એ તો નિશાચરો નો વિષય છે આ દોસ્તો !
સુરજ કદી ન વાત કરે અંઘકાર ની.

વેચાયેલાં ગુલોની કોઇ ચાલ તો નથી ?
ક્યાંથી ઘુસી બહાર ચમનમાં બહારની ?

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવાર ની.

શું જોઇ લોક શુન્ય ને બોલાવતા હશે ?
ગજવે છે ક્યાં હવે એ સભા ઓ પ્રચારની?

-શુન્ય પાલનપુરી


Responses

  1. સુંદર મજાની ગઝલ…. આભાર…

  2. very nice kavita.


Leave a response

Your response:

Categories